દુર્ગાબાઇ દેશમુખ
દુર્ગાબાઇ દેશમુખ શ્રીમતી દુર્ગાબાઇ દેશમુખનો જન્મ તા. ૧૫-૧૭-૧૯૦૯ના
રોજ થયો હતો. આંધ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ ચાલુ રાખતાની સાથે ભારત સ્વાતંત્ર્ય
સંગ્રામમાં પણ ઝંપલાવ્યું. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત પણ કરી. ત્યારબાદ
બંધારણસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને છ વર્ષ સુધી આ પદ શોભાવ્યું. આયોજન પંચના સભ્ય
તરીકે તેમ જ મધ્યસ્થ સમાજકલ્યાણ બોર્ડના અધ્યક્ષ તરીકે નોંધપાત્ર સેવાઓ બજાવી.
ભારત સરકાર તરફથી તેમને ‘પદ્મવિભૂષણ’નો ઇલકાબ એનાયત થયો હતો. ઉપરાંત
નિરક્ષરતા નિવારણ માટે નહેરૂ એવોર્ડ, રાષ્ટ્રીય-
આંતરરાષ્ટ્રીય વિકાસ માટેનો ‘હોફમેન એવોર્ડ’ પ્રાપ્ત કરવાનું સદભાગ્ય પણ એમને સાંપડયું હતું.
Comments
Post a Comment